Friday, June 19, 2009

ધારીના મોણવેલની સીમમાં એક-બે નહીં આઠ-આઠ સિંહબાળ : લોકોના ટોળેટોળાં

ગીરના જંગલમાં આ વર્ષે આસામાન્ય સંખ્યામાં બાળસિંહો જોવા મળતાં હોવાના દિવ્ય ભાસ્કરમાં પ્રસઘ્ધિ થયેલા અહેવાલને સમર્થન મળતું હોય તેમ બગસરા નજીક આવેલ ધારી તાલુકાના મોણવેલ ગામે બે સિંહણ અને એક સિંહ સાથે આઠ-આઠ બાળ સાવજોએ વસવાટ કર્યોછે.
ધારી તાલુકાના મોણવેલ ગામથી વેકરિયા ગામ તરફ જતાં રસ્તા નજીકની સીમમાં ઉગાબાપુની વાડી પાસે બે સિંહણ અને એક સાવજે છેલ્લા ઘણા સમયથી વસવાટ કર્યોહતો. આ બન્નો સિંહણોએ એ જ સ્થળે આઠ બચ્ચાને જન્મ આપ્યો હતો. અત્યારે એ બચ્ચાઓની ઉમર એક થી દોઢ માસ જેવી જણાય છે.
આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ પહેલા દસ બચ્ચા હતા પરંતુ અત્યારે તેમાંથી બે ગાયબ છે. આ સંજોગોમાં વનખાતું તપાસ કરે અને બાળ સાવજોને રક્ષણ આપે તે જરૂરી છે. અત્યારે તો સિંહદર્શન માટે એ સ્થળે ટોળે-ટોળાં ઊમટી રહ્યા છે.

સિંહોની સેકસભૂખ વધી, સંવનનનું ઋતુચક્ર તૂટયું

આવનારો સમય ગીર અભયારણ્યમાં વસવાટ કરતા સાવજો માટે માદકતાનો માહોલ લઈને આવી રહ્યો છે. ચોમાસામાં અને ખાસ કરીને ભાદરવો માસ જંગલના રાજા માટે સંવનનનો આદર્શ સમય ગણાય છે. આ સમયે સિંહ-સિંહણને ઉન્માદ ચરમસીમા પર હોય છે. સિંહણ ગર્ભ ધારણ કરે છે અને ૨૯૯થી ૩૦૦ દિવસ પછી બચ્ચાંને જન્મ આપે છે.
પરંતુ પાછલા એક દાયકામાં ગીરનું પ્રકત્તિચક્ર ડિસ્ર્ટબ થઈ ગયું છે તેની અસર સિંહ-સિંહણ પર પણ પડી છે. હવે માત્ર ભાદરવો નહીં પણ વર્ષના ગમે તે સમયે કામૂક સિંહ-સિંહણો સંવનન કરતા નજરે પડે છે અને બચ્ચાંનો જન્મ પણ વર્ષમાં ગમે ત્યારે થાય છે. એકંદરે કહી શકાય કે ગીરના સાવજો સંવનનનાં મુદે્ કુદરતના ક્રમને ચાતરી રહ્યાં છે.
એશિયાટીક લાયનની સંવનનની ઋતુ પ્રભાવિત થઈ હોવાનું નિષ્ણાતો પણ સ્વીકારી રહ્યા છે. પાછલા વર્ષોમાં આ વિસ્તારમાં અસાધારણ વરસાદ પડયો છે. ગરમી પણ અસાધારણ પડી છે. સંરક્ષણને કારણે ગીરની ઘટતા પણ વધી છે. એક સમયે સૂકા જંગલની વાવ્યમાં આવતું ગીર હવે ભેજયુકત બન્યું છે. જંગલી વૃક્ષોમાં આવતા ફળ-ફુલનું ઋતુચક્ર પણ પ્રભાવિત થયું છે.
દરિયાઈ પાણીની ખારાશ ગીરના કાંઠા સુધી પહોંચી છે. એક દાયકામાં જંગલની બહાર નીકળી ગયેલા સાવજોએ મેદાની ઈલાકાને રહેઠાણ તરીકે સ્વીકારી લીધો છે.જંગલના રાજાએ બદલાતી પ્રકત્તિ સાથે પોતાને એડજસ્ટ કર્યા છે. પરંતુ તેનાલીધે અન્ય ઘણા પરિવર્તનનો પણ આવ્યા છે. તેમાંનું એક પરિવર્તન સાવજોના સંવનન કાળને લગતું પણ છે.
ધારીના પ્રકત્તિ નિષ્ણાત ડો. મનુભાઈ ભરાડ જણાવે છે કે, સાચી રીતે સિંહોનો આદર્શ સંવનનકાળ ૨૧ ઓગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર વચ્ચે હોય છે, જે રીતે કૂતરાંઓ માટે ભાદરવો મહિનો સંવનનકાળ ગણાય છે તેવું જ સાવજનું પણ છે. આ સિવાયના સમયે પણ જો સિંહ વધુ પડતો રોમેન્ટીક હોય અને સિંહણ તૈયાર હોય તો બન્નો સંવનન કરે છે.
પરંતુ એ હકીકત છે આવું અપવાદરૂપ કિસ્સામાં બનતું હોય છે. જયારે પાછલા થોડા સમયથી સિંહ-સિંહણને મેટિંગના સમાચાર વર્ષમાં ગમે ત્યારે આવે છે. કુદરતનો ક્રમ આ વન્યપ્રાણીઓ ચાતરી રહ્યા છે. વર્ષમાં કોઈપણ સમયે સંવનની ઘટના પ્રમાણમાં વધી રહી છે. આ વાત ચોક્કસપણે અસાધારણ છે.
જંગલખાતાના એક કર્મચારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, વરસાદ હોય કે, શિયાળો હોય કે ઉનાળો સિંહ-સિંહણના સંવનનના ખબર અમારી પાસે ગમે ત્યારે આવી પડે છે. જે અમારા માટે પણ નવાઈની વાત છે.
સિંહો અંગે ગીર જંગલમાં અનેક પ્રકારનું સંશોધન ચાલી રહ્યું છે પરંતુ તેના સંવનનકાળમાં થઈ રહેલા આ ફેરફાર અંગે ઉચ્ચ અધિકારીઓ પણ કયારેય ઘ્યાન આપતા નથી. ખરેખર તો દરેક સિંહનું લોકેશન કર્મચારીઓને ખબર હોય છે. તેમના સંવનનનાં સમયની વ્યવસ્થિત નોંધ થાય. બચ્ચાંના જન્મ વિગેરે બાબતોને ઘ્યાનમાં રાખી આ ફેરફાર અંગે વ્યવસ્થિત અભ્યાસની આવશ્યકતા છે.
અમરેલીના જાણીતા પર્યાવરણવિદ્ કહે છે ગ્લોબલ વોિર્મંગની અસર પ્રકત્તિ પર પડી છે. વાતાવરણ ડહોળાયું છે. તેની અસર વનરાજોની જીવનશૈલી પર પણ પડી છે. વસંતઋતુ કામ પદા કરે છે. તેથી આ સઝિનમાં પણ સિંહ-સિંહણ ઘોરામાં આવી જાય છે. પરિણામે વર્ષના ચોમાસા સવિાયના દિવસોમાં પણતેઓ સેકસ ભોગવતા નજરે પડે છે. વળી સિંહોની સંખ્યા પણ વધી હોવાથી આવુ વધારે લાગી રહ્યું છે.
અલબત્ત ગીર પૂર્વના ડીએફઓ મુનિશ્વર રાજાના મત મુજબ પ્રકત્તિના નિયમોમાં જાજા ફેરફારને અવકાશ નથી. પ્રકત્તિ તેનું કામ કરતી રહે છે. વૈજ્ઞાનિક દ્દષ્ટિકોણથી હું નહીં શકુ કે મોટાપાયે આવો કોઈ ફેરફાર થઈ રહ્યો છે.
જીવનશૈલીના ફેરફારોનો અભ્યાસ જરૂરી
ગીર નેચર યૂથ કલબના પ્રમુખ અમિત જેઠવા કહે છે ચોક્કસપણે સિંહોની જીવનશૈલીમાં આ પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગીરના જંગલને અનેક બાબતોએ પ્રભાવિત કર્યું છે. પ્રકત્તિનો ખો નીકળી રહ્યો છે ત્યારે પ્રકત્તિના એકભાગ સમા સાવજ તેનાથી કઈ રીતે બાકાત રહી શકે? આ દિશામાં ખરેખર તો એક અભ્યાસ શરૂ કરવાની જરૂર છે.
એક વાત ચોક્કસ છે કે, જંગલખાતાના અધિકારીઓ પ્રકત્તિના નિયમો જરૂર જાણે છે તેમાં થઈ રહેલા ફેરફારો પણ જાણે છે પરંતુ આ ફેરફારના કારણે થઈરહેલી અસરોનો અભ્યાસ કરવાની દિશામાં તે વિચારતા પણનથી. ખરેખર તો વૈજ્ઞાનિક અભિગમ સાથે અભ્યાસની જરૂરી છે.